વિમાનમાં બેઠેલા મુસાફરોના શ્વાસ અધ્ધર થયા: પુના એરપોર્ટથી દિલ્હી માટે ટેક ઓફ કરતી ફ્લાઈટની વચ્ચે ટ્રેક્ટર આવી ગયું, ફ્લાઈટને થયું નુકસાન
- 17 May, 2024
ઘણા લોકોને ફ્લાઈટમાં ટ્રાવેલ કરવાથી ડર લાગે છે. જોકે જો આજ ડર વાસ્તવિકતામાં પરિણમે તો શું થાય. આવી જ એક ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટમાાં બની હતી. ગુરુવારે પુનાના એરપોર્ટ પર લગભગ 200 મુસાફરો એવા સમયે ફસાઈ ગયા હતા, જ્યારે દિલ્હી જનારી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ રનવે તરફ ટેક્સી કરતી વખતે એક સામાન લઈ જતા ટ્રેક્ટર સાથે અથડાઈ હતી.
એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટક્કરના કારણે વિમાનની એક પાંખ અને ટાયરને નુકસાન થયું હતું. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે વિમાનમાં લગભગ 200 મુસાફરો બેઠલા હતા. જોકે દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તમામ યાત્રીઓ અને ડ્રાઈવર હાલ સુરક્ષિત છે.
રિપોર્ટ મુજબ આ દુર્ઘટના ત્યારે સામે આવી છે, જ્યારે એર ઈન્ડિયા AI-858 ફ્લાઈટ સાંજે 4 વાગ્યે પુનાથી ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. વિમાન ક્ષતિગ્રસ્ત થવાના કારણે ફ્લાઈટમાં વિલંબ થયો હતો અને તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટના પછી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ